રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ખાતે છેલ્લા 17 વર્ષ થી કાર્યરત અસ્થિ બેંન્ક 2022 થી 2023 સુધી 150 જેટલા મૃતકો ના જમા થયેલા અસ્થિ નું ગંગાજી હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધી પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું આ અંગે અસ્થિ બેંન્કના સંચાલક નરેન્દ્રભાઇ પટેલે જણાયું હતું કે ગત તા. 22 એપ્રિલથી 18 મે સુધી એક વર્ષનાં સમયગાળા દરમિયાન કુલ 150 અસ્થિ એકત્રિત થયા હતા છેલ્લા 17 વર્ષ થી ચાલતા આ કાર્યમાં અત્યાર સુધી કુલ 2,850 જેટલા સ્વજનોના મૃતકોના અસ્થિ નું ગંગાજી હરિદ્વાર ખાતે શાસ્ત્રોક વિધિ સાથે આવેલા અસ્થિઘાટ ખાતે વિસર્જિત કરવામાં આવ્યું આ પ્રસંગે અસ્થિઘાટ ખાતે પુંસરી ગામના કથાકાર આચાર્ય દિપતેશભાઇ જોષી હાજર રહી આશીર્વાદ આપ્યા હતા તેમજ નટુભાઇ ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી લીલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા