સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર માં રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ દિવસનો સમર્ કેમ્પનો પ્રારંભ થયો.

કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર માં ૨૦ થી ૩૦ મે દરમ્યાન ૧૦ દિવસ સમર્ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ .તેમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સઁસ્કાર શિબિર યોજાઈ છે તેમાં ઉર્વશીબેન મિસ્ત્રી,રવિભાઈ પંચાલ,ભાવેશભાઈ પ્રજાપતિ,અને માધુરી બેન દ્વારા સમર યોગ કેમ્પમાં બાળકોને વિવિધ વિવિધ પ્રકારની યોગની તાલીમ અને સઁસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે

તેમજ બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ ,લસ્સી,સરબત ,વગેરે પીણા આપવામાં આવે છે સમર યોગ કેમ્પમાં ઝોન કો.ઓર્ડીનેટર જયેદ્રભાઇ મકવાણા અને જિલ્લા કો.ઓર્ડીનેટર અમીબેન પટેલ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment