રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના માલોત્રા ગામના આશાસ્પદ યુવાન પથુભાઈ માજીરાણા (ઉં.વ.25) બુધવારે સવારના સમયે માલોત્રા રેલવે ફાટક પાસે પસાર થતી ટ્રેન નીચે આવી જતા કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે તંત્ર દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ.અર્થે ધાનેરા સિવિલ હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરવામાં અ હતી. યુવકના મોતથી પરિવારજનોમાં શોક છવાયો હતો