રાધનપુર પંથકમા સતત મેઘ મહેર યથાવત રહેતાં ખેતરોમાં પાણી ભરાતા જુવાર બાજરી એરંડા, મગ,અડદ,ના કઠોળ, સહિત ના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

રાધનપુર પંથકમા સતત મેઘ મહેર યથાવત રહેતાં ખેતરોમાં પાણી ભરાતા જુવાર બાજરી એરંડા, મગ,અડદ,ના કઠોળ, સહિત ના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે જેમાં તાલુકાના કમાલપુર સાતુન કલ્યાણપુરા સહિત ના ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં ખેડૂત ની મહેનત પર મોટુ નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી ના પગલે લાંબા સમય બાદ છેલ્લા 4 દિવસથી પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વરસાદી માહોલ જામતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો એક તરફ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોએ વાવેતર કરેલ પાકોને નવ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશી જોવાં મળી હતી.ત્યારે બીજી તરફ ચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ કપાસ,જુવાર બાજરી એરંડા, મગ, અડદ જેવા કઠોળ સહિત ના પાકો પાણીમાં ગરકાવ થયા હતા. આપની સામે દેખાતા દ્રશ્યો રાધનપુર વિસ્તાર સાતુન ગામનાં છે જ્યાં ખેતરો માં પાણી ભરાઈ જતાં ખેડૂત વર્ગ ચિંતાતુર બન્યો છે. તેમજ ઉપજ માટે ભેગા કરેલ અંરડા જુવાર બાજરી અડદ, મગ ના પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતો કુદરત સામે લાચાર જોવા મળ્યો છે જિલ્લામાં ભારે વરસાદને પગલે રાધનપુર તાલુકાના આજુબાજુ ના ખેતર વિસ્ત્તારમાં થયેલ એરંડા જુવાર બાજરી અડદ, કપાસ, મગ ના પાકો નુક્સાનનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી ખેડુતોએ સરકાર પાસે માંગ કરી છે.

Comments (0)
Add Comment