રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ધાનેરા શહેરમાં લોકોમાં જાગૃતિ આવે અને વિવિધ રોગોનું નિદાન થાય તે બાબતે સોસાયટીઓમાં આરોગ્ય ચકાસણી તેમજ કાર્ડ કાઢવા માટેનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. જેમાં ગુરુવારે ધાનેરાની મધુસુદન વિલાસ સોસાયટીમાં કેમ્પ યોજાયો હતો. જેમાં 50 જેટલા લોકોના ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ 10 લોકોના કાર્ડ પણ કાઢવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટીએચઓ ડો.લક્ષ્મીકાંત સોમાણી, વાલેર પી.એચ.સી.ના આરબીએસકે ડો. નિકિતાબેન પટેલ તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો.