રિપોર્ટર કાંતિભાઈ માણી થરાદ
થરાદ તાલુકાની અંદર આવેલ દોડગામ અને નાગલા બંને ગામોમાં વરસાદ પાણી ભરાઈ જવાથી ખેડૂત મિત્રોને બહુ જ હાલાકી ભૂકંવી પડી છે એના માટે આજે ગુજરાત રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા પ્રાંત ઓફિસે મામલદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. બોડી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજર રહી અને વિનંતી પણ કરી તાત્કાલિક પાણીનો નીકળ આવે એવી ની અપેક્ષા રાખીએ છીએ અને અમારે ખેતી અને પશુ સિવાયનું અમારી જોડે બીજું કોઈ વિકલ્પ નથી ખેતરમાં પાણી ભરાવાથી કંઈ અમારે ખેતી થશે નહીં. ખેતી નહીં થાય તો પશુઓને અમે શું નાખીશું એ અમારી વેદના ધ્યાનમાં રાખી પાણીનો નિકાલ કરવા નમ્ર વિનંતી. જે ટાઈમે ચૂંટણી આવે એ ટાઈમે ચૂંટણીનો ઢંઢેરો પીટવા માટે વોટની લાલચ માટે અમારી જોડે આવો છો અને જ્યારે અમારી મજબૂરી હોય ખેડૂત મિત્રોને ત્યારે તમને કંઈ ધ્યાનમાં નથી આવતું? આ વાત અમે ખેડૂત મિત્રો રાજકીય નેતાઓને કહેવા માગીએ છીએ અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધીજી માર્ગ અપનાવીશું જય જવાન જય કિસાન