રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
કચ્છમાં સંભવિત વાવાઝોડા ‘બિપોરજોય’ અનુસંધાને આજે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ, કચ્છના પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા જી સાથે જખૌ ગામની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા થયેલ તૈયારીઓની સમીક્ષા કરી એવમ્ ગામના લોકો સાથે સંવાદ કર્યો.. સ્થળે પ્રદેશ મહામંત્રી અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી પ્રધ્ધુમનસિંહ જાડેજા તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ એવમ્ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.