રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ
દહેગામ તાલુકાના રખિયાલ ગામ માં રોજ ના રોજ લાઈટ ની ભોજગરો જોવા મળી રહી હતી.
રખિયાલ વિસ્તારમાં છેલ્લા ગણા દિવસ થી લાઈટ કટ થવાથી રહીશો દ્વારા ફરિયાદો કરવામા આવતી હતી. પરંતુ કર્મચારીઓ લોલીપોપ આપીને જનતાને શાંત કરતા હતા.જ્યારે કમ્પ્લેન નંબર ઉપર કોલ કરવામાં આવે તો સરખો જવાબ પણ મળતો ન હતો.જ્યારે જનતા ત્રાહિમામ પોકારી રહી રહી હતી. રખિયાલ ગામે વીજતંત્ર ની ગોર બેદરકારી સામે આવી હતી.રખિયાલ ગામ ની જનતા ની માંગ એક જ હતી.વીજતંત્ર જાગે અને થઈ રહેલી મુશ્કેલીઓ દૂર કરે. કારણ કે રખિયાલ માં લાઇટ નાં ધાધિયા એ માઝા મૂકી દીધી હતી. જ્યારે બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ ના રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ તાલુકા રિપોર્ટ દ્વારા સમાચાર પ્રસિદ્ધિ કરતાં જી ઇ બી ના કર્મચારી ઓ તત્કાલીક પગલા લેવામાં આવ્યા ને લાઈટ નો પ્રોબ્લેમ દૂર કરવામાં આવ્યો.